‘ભારત માતાની જય’ને લઈને સૌથી યોગ્ય અને સુંદર ટિકા એક
ન્યૂઝ ચેનલ પર આવી. ત્યાં નહેરૂની ‘ભારત એક ખોજ’
પર બનાવાયેલી બેનેગલની સીરિયલનો તે
ટૂકડો દર્શાવાયો, જેમાં નહેરૂના નેતૃત્વમાં કેટલાંક
સ્વતંત્રતા સંગ્રામીઓના એક પ્રદર્શનમાં નેતૃત્વ કરતાં બતાવ્યા છે. લોકો ‘ભારત માતાની જય’ના સૂત્રો લગાવતા એક જાહેર સભા કરે છે, જેમાં નહેરૂજી પૂછે છે કે તમે લોકો જે
ભારત માતાની જય બોલી રહ્યા છો તે કોણ છે? ક્યાં રહે છે?
શું તમે જાણો છો? લોકો ચૂપ અને ચકિત થઈને તેમનું મોં
તાકવા લાગ્યા. ત્યારે એક ગભરાયેલી વ્યક્તિએ કહ્યું કે આ ધરતી આપણી ભારત માતા છે।
નહેરૂ તેને પ્રેરિત કરીને આગળ પૂછે છે અને જણાવતા જાય છે આ ગામ આ ધરતી સમગ્ર
હિન્દુસ્તાનની ધરતી, વૃક્ષ, પશુ, પક્ષી, નદી, પહાડ, મેદાન, વન અને સૌથી ઉપર તેમાં રહેનારા લોકો-આ
બધા મળીને ભારત માતા છે અને આપણે તેની જ જય બોલીએ છીએ, જે આપણને પાલે છે, આપણી રક્ષા કરે છે. આ એક ટૂકડામાં
જેટલી વ્યાખ્યા આવી ગઈ એટલી દસ ચેનલોની બકવાસી ચર્ચામાં ન આવી શકી.
ન્યૂઝ
ચેનલો પણ શું કરે? તે ઉત્તેજક વાતને ઉઠાવી લેવા તત્પર જ
હોય છે. આ બાજુ ભાગવતજીએ ‘ભારત માતાની જય’ની વાત કરી, ત્યાં અસદુદ્દીન ઓવૈસી તેને પર્સનલી લઈ
બેઠા, જાણે આ તેમને જ કહેવાયું હોય.
પ્રતિક્રિયામાં તેમણે પોતાના ગળું ખેંચી ખેંચીને એક જાહેરસભામાં કહી દીધુંઃ મોહન
ભાગવત સાહેબ। હું ભારત માતાની જય નથી કહેતો, શું કરશો તમે?
સામેની ભીડે તાલ ઠોકતી બહાદૂરીને
સાંભળીને બાંવરી થઈ ગી અને સીટી, તાળી
વગાડવા લાગ્યા. તાળી જોઈને તેઓ વધારે તાડૂક્યા કે ‘ગળાં પર છરી રાખીને પણ બોલવા કહેશો તે પણ નહિ બોલવાનું’ તો વધારે તાળીઓ... અને એક મુદ્દો ઊભો
થઈ ગયો.
ત્યારબાદ
ભારત માતાની જય બોલાવવાની જવાબદારી મહારાષ્ટ્રએ લઈ લીધી. તેમની વાત વિધાનસભામાં ગઈ
અને વારિસ પઠાણને, ઓવૈસીની લાઈન પર નહિ, તેમની ‘અભદ્ર ભાષા’ના ઉપયોગ પર આખાં સત્ર માટે વિધાનસભા
ગૃહમાંથી સસ્પેન્ડ કરી દેવાયા. આ મુદ્દે ફરી દરેક ઠેકાણે ચર્ચા. એક બાજુ વારિસ
પઠાણ, બીજી બાજુ પ્રેમ શુક્લ. ત્યારબાદ ભારત
માતાની જય બોલાવવાનું એટલે સુધી જરૂરી થઈ ગયું કે તેના માટે દરેક ન્યૂઝ ચેનલ પર
રાત સુધી રાષ્ટ્રીય પ્રવક્તા સુધીના લોકો આવી પહોંચ્યા! એક બાજુ ઓવૈસી કે કેટલાંક
મૌલવીઓ અને બીજી બાજુ ભારત માતાની જય બોલનારા લોકો. કેટલું સરળતાથી થઈ ગયું
ધ્રુવીકરણ!
આટલી
બધી ચર્ચાફર્ચામાં સૌથી શ્રેષ્ઠ હસ્તક્ષેપ રહ્યો તો જાવેદ અખ્તરનો, જેમણે પોતાની રાજ્યસભાના સભ્યપદના અંતે
કેટલીક મિનીટોમાં ઓવૈસી સાહેબને એ કહીને ઢેર કરી દીધા કે જો સંવિધાનમાં ભારત
માતાની જય બોલવાનું નથી લખ્યું, તો
શેરવાની અને ટોપી પહેરવાનું પણ ક્યાં લખ્યું છે, અને ભારત માતાની જય બોલવું મારું કર્તવ્ય જ નહિ, મારો અધિકાર પણ છે... પરંતુ ભારત
માતાની જય બોલવાથી પણ મોટા મુદ્દા સામે આવ્યા છે...
ચેનલો
માટે તો તે મુદ્દા બિકાઉ છે, જે
ઉલઝાવે છે. ચેનલ સુલઝાવનાર થઈ તો તેને કોણ પૂછશે? ‘દુનિયાના સૌથી મોટા ડેટા બેઝ’ એટલે કે ‘આધાર કાર્ડ’ને અંતે આધાર મળી ગયો, નાણાં બિલની જેમ અંતે પાસ થઈ ગયું બે
પાટન વચ્ચે માત્ર આધાર કાર્ડ રહ્યો, જે સાબૂત બચી ગયા, નહિ
તો આવ્યું ત્યારે ભાજપે પીટ્યું, હવે
ભાજપ લાવી તો કોંગ્રેસ પોતે પીટવા લાગી. આપણી સકલ રાજકારણનો સાર એટલો જ છેઃ તેં
મને જશ ન લેવા દીધો તો હું તને કેવી રીતે જશ લેવા દઉં?
જેએનયુનું
પણ શું કહેવું! રાજદીપે જેએનયુના ગુરુજીને બોલાવ્યા તો એટલે હતું કે યુનિવર્સિટીના
અહેવાલ પર ચર્ચા કરશે, પણ ગુરુજીએ પહેલાં જ રાઉન્ડમાં કહી
દીધું કે દેશદ્રોહનો નારો લગાવનારા પ્લાન્ટેડ હતા! જ્યારે પૂછ્યું કે સભાના આયોજક
વિદ્યાર્થીને ઓળખી લેશો કે તેઓ કોણ હતા? તો ગુરુજી બોલી ગયાઃ તેઓ ઓળખી નહિ શકે! ગુરુ હોય તો એવા કે ચેલાને
દરેક સંજોગોમાં બચાવે, ચેલા હોય તો એવા કે વાત-વાત પર ક્રાંતિ
ક્રાંતિ પોકારે.
નારદજીનું
કેમેરા વર્ક એટલું ખરાબ હતું કે તેમને નોકરીમાંથી હાંકી કઢાય એવી શક્યતાઓ છે. એકદમ
ધૂંધળું સ્ટિંગ અને ટાઈમિંગ પણ એટલું ખરાબ કે બે વર્ષ બાદ રીલને હવા આપવામાં આવી.
નારદજી સ્ટિંગની થિયરી સમજી લોઃ સ્ટિંગના ટાઈમિંગમાં જ સ્ટિંગની જાન છે. થોડુંંક
પણ ખોટું ટાઈમિંગ થયું કે સ્ટિંગ પર ખૂદ ‘કાઉન્ટર સ્ટિંગ’ બની
ગયું! સ્ટિંગ પણ એ રીતે બે કોડીનું હતું કે એકદમ સ્પષ્ટ કશું હતું જ નહિ. ઝાંખા
અંધકારમાં જેને લેવાના હતા,
તે લેતા દેખાયા હતા, જેને દેવાના હતા તેમના ચહેરાસુદ્ધાં
નહોતાં દેખાતાં! હવે તમે જ નક્કી કરો કે આ પ્રકારના સ્ટિંગ ન્યૂઝ ચેનલો માટે
કેટલાં કામના છે અને જો કામનાં છે તો કેમ આ ન્યૂઝ ચેનલોને કામનાં છે! એ તો ન્યૂઝ
ચેનલના માલિકો જાણે અને જે તે રાજકીય પક્ષો! ઓમ સ્ટિંગાય નમઃ!
-અભિજિત
04-04-2016
No comments:
Post a Comment