મહારાષ્ટ્રના શનિ શિંગણાપુર મંદિરના
ન્યાસી મંડળે મહિલાઓના પ્રવેશની પરવાનગી આપી દીધી છે. સ્પષ્ટ છે, આ મહિલાઓના સંઘર્ષની જીત છે અને સમાનતાના તેમના અધિકારનો વધુ એક
મુકામ છે. પણ તેમની આ ઉપલબ્ધિ ન્યાસી મંડળની પહેલનું પરિણામ નથી, પણ તેનો શ્રેય ભૂમાતા બ્રિગેડના આંદોલન અને મુંબઈ હાઈકોર્ટના
નિર્ણયને જાય છે. ગયા દિવસોમાં પોતાના એક નિર્ણયમાં અદાલતે કહ્યું હતું કે
પૂજાસ્થળમાં પ્રવેશ પુરૂષોની જેમ મહિલાઓનો પણ માળખાગત અધિકાર છે અને તે સરકારની
જવાબદારી છે કે તે તેમના આ અધિકારને લાગુ કરે અને તેમને સુરક્ષા પૂરી પાડે.
ઉચ્ચ અદાલતના આ નિર્ણય બાદ રાજ્ય સરકાર
પર પણ દબાણ વધી ગયું હતું અને મંદિરના ન્યાસી મંડળ પર પણ. ન્યાસીઓનું તાજું વલણ તે
દબાણનું પરિણામ છે. ન્યાસી મંડળને એ અહેસાસ થઈ ગયો કો સદીઓથી ચાલી આવતો પ્રતિબંધ
જારી રાખવો હવે સંભવ નહિ બની શકે. સમાજનો એક વર્ગ પરંપાર માટે કે પરંપરાના નામ પર
એવા પ્રતિબંધને બનાવી રાખવાનો હિમાયતી હોઈ શકે છે, પણ હવે તેમને તેના માટે એટલું વ્યાપક સમર્થન નહિ મળી શકે જેને
સામાન્ય સામાજિક સંમતિ કહી શકે. હકીકતમાં, મંદિરોમાં
પ્રવેશ સંબંધિત આ નિયમ-કાયદા ત્યારે બન્યા અથવા વિકસિત થયા જ્યારે સંવિધાન,
કાયદો, નાગરિક અધિકાર
વગેરે આપણા જાહેર જીવનના નિર્ધારક તત્વ નહોતા. પણ હવે એ જાહેર જીવનની મહત્વની
કસોટીઓ છે. એટલા માટે તેને નજરઅંદાજ ન કરી શકાય.
આસ્થાના તર્કથી પૂજાસ્થળોની એક
સ્વાયત્તતા હોઈ શકે છે, હોવી પણ જોઈએ, પણ સમાનતા તથા નાગરિક અધિકારના મૂલ્યોની સાથે પણ તેણે પોતાનો મેળ
બેસાડવો પડશે. શનિ શિંગણાપુર મંદિરમાં સ્ત્રીઓનો પ્રવેશ વર્જિત હોવાની વાતને ઘણાં
સમર્થકોની દલીલ હતી કે આ જગ્યાને સ્ત્રીઓની પ્રતિ ભેદભાવના રૂપમાં નહિ, પણ તેમને અમંગલથી બચાવવા માટે એક ધાર્મિક વિધાનના રૂપમાં જોવું જોઈએ.
પણ જ્યારે શનિના તમામ મંદિરોમાં સ્ત્રીઓ જાય છે તો માત્ર શનિ શિંગણાપુરને અપવાદ
બનાવી રાખવાનો તેમનો તર્ક બચાવ ન કરી શક્યો. કેટલાંક લોકો કેરલના સબરીમાલા
મંદિરનું પણ ઉદાહરણ આપે છે, જ્યાં માસિક ધર્મની ઉંમરની સ્ત્રીઓનો
પ્રવેશ પ્રતિબંધિત છે. સબરીમાલાનો મામલો પણ અદાલતમાં છે.
સબરીમાલામાં મહિલાઓના પ્રવેશ પર
પ્રતિબંધ વિરૂદ્ધ દાખલ અરજી પર સુનાવણી કરતાં ત્રણ મહિના પહેલાં સર્વોચ્ચ અદાલતે
કહ્યું હતું કે સંવૈધાનિક આધાર ઉપર એવું ન કરી શકાય, મંદિરમાં ધાર્મિક આધાર ઉપર (એટલે કે અન્ય ધર્માવલંબિઓ માટે) તો
પ્રતિબંધ લગાવી શકાય છે, પણ લૈંગિક આધાર પર નહિ. સબરીમાલામાં
અંતિમ નિર્ણય હજુ આવ્યો નથી, પણ સ્પષ્ટ છે કે શનિ શિંગણાપુર
મામલામાં મુંબઈ ઉચ્ચ અદાલતનો નિર્ણય સર્વોચ્ચ અદાલતના વલણથી એકદમ મેળ ખાતો છે.
બે ધારાઓની વચ્ચે દ્વંદ્વમાં શરૂમાં
જરૂર ખટાસ દેખાય છે, પણ ઘણી વાર સકારાત્મક પરિણામ આવે છે,
પરંપરા આપણે જ બદલવાની છે, નવીકૃત પણ કરે છે. શનિ શિંગણાપુરમાં જમાનાથી ચાલી આવી રહેલો પ્રતિબંધ
હટવાને તેની વ્યાપક પરિપ્રેક્ષ્યમાં જોવી જોઈએ. આ પ્રકારે બીજા અનેક ઉપાસના સ્થળ
પણ છે, અન્ય સમુદાયોના પણ છે જ્યાં સ્ત્રીઓના
પ્રવેશ પર પ્રતિબંધ છે. આશા રાખવી જોઈએ કે આ પ્રતિબંધ ત્યાંથી પણ હટાવી લેવાશે.
-અભિજિત
11-04-2016
No comments:
Post a Comment