પઠાણકોટ હુમલાની બેતરફી તપાસ પર થયેલી સંમતિમાંથી ગુલાંટી મારીને પાકિસ્તાને
બંને દેશોની વચ્ચે જારી શાંતિ પ્રક્રિયા પર ફરી પલિતો ચાંપી દીધો છે. તેનાથી
સરહદની બંને બાજુ ઉપસ્થિત અમનના ચાહકોમાં માયૂસી ફેલાવી સ્વાભાવિક છે, પરંતુ પાકિસ્તાનના જૂના રેકર્ડને
જોઈએ તો તેમાં આશ્ચર્યજનક કશું જ નથી. તેનાથી દરેક વખતે એ સાબિત થયું છે કે તેનો
રસ સંબંધ સુધારવા કે સંવાદનો સિલસિલો આગળ વધારવામાં નથી, ઉલ્ટાનું ભારત પર આરોપોનો ટોપલો
ઢોળીને પોતાની આંતક-પોષી નીતિઓ-કારસ્તાનોથી વિશ્વ સમુદાયનું ધ્યાન હટાવી રાખવામાં
વધારે છે. દિલ્હીમાં ગયા ગુરૂવારે પાકિસ્તાની ઉચ્ચાયુક્ત અબ્દુલ બાસિતના નિવેદનથી
તેના નાપાક ઈરાદાની સ્પષ્ટ પૂષ્ટિ થઈ જાય છે. બાસિતે ન માત્ર પઠાણકોટ હુમલાની તપાસ
માટે ભારતીય દળને પાકિસ્તાન જવા પર બનેલી સંમતિથી અંતર કરીને, વિદેશ સચિવોની કોઈ પણ સંભવિત
બેઠકનો પણ ઈનકાર કરી દીધો. તેમણે કાશ્મીરનો રાગ આલાપીને એ સનાતન પાકિસ્તાની આરોપ
પણ દોહરાવ્યો કે ભારત બલૂચિસ્તાનમાં અડચણો ઊભું કરી રહ્યું છે. આ સંબંધે બાસિતે
ભારતીય નૌસેના અધિકારી કુલભૂષણ જાધવને પાકિસ્તાનમાં જાસૂસીના આરોપમાં પકડી લેવાનો
હવાલો પણ આપ્યો, જ્યારે આ ધરપકડ અને જાસૂસીના આરોપને ખૂદ પાકિસ્તાની
મીડિયાનો એક વર્ગ માત્ર શંકા ગણાવી રહ્યું છે. બાસિતના નિવેદનને ભારતીય પક્ષ માટે
જોરદાર ઝાટકો ગણાવવું જોકે થોડી ઉતાવળ કહેવાશે પણ પઠાણકોટ હુમલાની તપાસ માટે ભારત
આવેલી પાક. તપાસ ટીમની ત્યાંના મીડિયામાં લીક અહેવાલમાં ઉલ્ટું ભારત પર થોપી
દેવાયેલા આરોપોથી મોદી સરકારની પાકિસ્તાન-નીતિ સવાલોના ઘેરામાં આવી ગઈ છે. એ
અફસોસની વાત છે કે વિદેશ નીતિના જે મોરચા પર તે પોતાની ઉપલબ્ધિના ઢંઢેરા પીટતા કે
ડંકા વગાડવાથી નથી થાકતી, એ મોરચા પર નજીકના પડોશી નેપાળ અને હવે પાકિસ્તાનના
મામલે તેમને ઉલ્ટા મોંની ખાવી પડી છે. તેમાં શંકા નથી કે વિભાજન બાદથી જ પાકિસ્તાન
ભારત માટે દુખતી નસ અને સંવેદનશીલ વિષય બનેલો છે. જ્યાં ભારતની આઝાદી બાદ એક મજબૂત
અને પરિપક્વ લોકશાહી રાષ્ટ્ર તરીકે વિકસિત થવામાં સફળ રહ્યું છે ત્યાં મઝહબના આધાર
ઉપર કૃત્રિમ વિભાજનની કૂખથી જન્મેલું પાકિસ્તાન આજે પણ વિભિન્ન ઉગ્ર પ્રદેશ ઓળખ
માટે ઝઝૂમતું, ધર્માંધતા, આતંકવાદ, કસ્બાની ટક્કરોથી લોહી લૂહાણ, રાજકીય, સેના અને ઈસ્લામી
સત્તા-કેન્દ્રની રસ્સાખેંચમાં ફસાયેલું એક નિષ્ફળ રાષ્ટ્ર બની ગયું છે. એક
કષ્ટમાંથી બીજું કષ્ટ એ છે કે વિશ્વમાં થયેલા મોટાભાગની આતંકી ઘટનાઓના તાર
પાકિસ્તાન સાથે જોડાયેલા મળ્યાં છે જેનાથી તેની છબિ આતંકવાદના નિકાસકાર તરીકેની
બની ગઈ છે. તેને ધ્યાનમાં રાખીને ખુદને શાંતિના ચાહક બતાવવા માટે જ્યાં તે ભારત
સાથે શાંતિ-સંવાદ માટે પગે પડવાની મુદ્રા અપનાવી લે છે ત્યાં જ અવામનું ધ્યાન
દેશની બદહાલીથી ભટકાવી રાખવા માટે કાશ્મીરની આઝાદીની આડમાં ભારત વિરૂદ્ધ
દુશ્મનભાવને પાળી પોષી રહ્યું છે. એ પણ રસપ્રદ છે કે અહીં બાસિતે દિલ્હીમાં શાંતિ
પ્રક્રિયાની રદ્દ બતાવી તો ત્યાં ઈસ્લામાબાદમાં પાકિસ્તાની વિદેશ મંત્રાલયના
પ્રવક્તાએ કહ્યું કે બંંને દેશ વિદેશ સચિવોની વાટાઘાટો માટે એકબીજાના સંપર્કમાં
છે. આ વિરોધાભાસ પાકિસ્તાનમાં નિર્ણયકારી તાકાતોના આંતરિક વિરોધોની અભિવ્યક્તિ છે
જે એક રાષ્ટ્ર તરીકે તેની વિશ્વસનીયતાને શંકાસ્પદ બનાવે છે. આ એક ગંભીર સ્થિતિ છે
અને પોતાની પાકિસ્તાન નીતિમાં ભારતે તેનું ગંભીરતાપૂર્વક ધ્યાન રાખવું જોઈએ. આખરે
સંબંધ સુધારતા કે શાંતિદૂત કબૂતરો ઉડાડીને આપણે વારંવાર ઊંડી ખીણમાં ક્યાં સુધી
પડતાં રહીશું?
-અભિજિત
14-04-2016
No comments:
Post a Comment