Tuesday, February 23, 2016

હરિયાણા અને ગુજરાતમાં આરક્ષણની આગ

જાટ આરક્ષણનો મુદ્દો હરિયાણામાં ગંભીર બનતો જઈ રહ્યો છે. આરક્ષણની માંગ કરી રહેલા જાટોએ હરિયાણામાં ઘણાં સ્થાનો પર વાહનવ્યવહાર ઠપ્પ કરી દીધો છે, ઘણી જગ્યાએ હિંસાના પણ અહેવાલો છે. અને આ મામલામાં નિપટવા માટે હરિયાણા સરકાર આડી ખીર બનાવી રહી છે. જ્યારે પણ આરક્ષણને લઈને આંદોલન થાય છે, તો સત્તાધારી પક્ષ માટે મુશ્કેલીઓ ઊભી થઈ જાય છે અને વિરોધી પક્ષો તેમાં પોતાનો રાજકીય લાભ ખાંટવાનો પ્રયાસ કરે છે. જ્યારે હરિયાણામાં કોંગ્રેસની સરકાર હતી, ત્યારે જાટોએ આરક્ષણ આંંદોલન તેમના માટે ગળામાં ફસાયેલા હાડકાં જેવું બની ગયું હતું અને હવે ભાજપના મુખ્યમંત્રી તેની આગમાં શેકાઈ રહ્યા છે. ઓમ પ્રકાશ ચૌટાલાની ઈન્ડિયન નેશનલ લોકદળ જાટ આંદોલનને ટેકો આપી રહ્યો છે.
જો જાટ આરક્ષણ સરળતાથી સંભવત હોત, તો અત્યાર સુધી આ મામલો સુલઝાવી શકાયો હોત. કેન્દ્રમાં પાછલી યુપીએ સરકારે કેન્દ્રીય નોકરીઓમાં જાટોના પછાત વર્ગોમાં આરક્ષણ પણ આપ્યું હતું, પરંતુ સુપ્રીમ કોર્ટે તે આદેશને રદ્દ કરી દીધો. હરિયાણામાં જે ક્વોટામાં, એટલે કે વિશેષ આર્થિક રૂપથી પછાત વ્યક્તિઓની શ્રેણીમાં જાટોની ત્રણ જાતિઓ સાથે ૧૦ ટકાનું આરક્ષણ આપવામાં આવ્યું છે, તેને પણ હાઈકોર્ટે ગેરકાયદેસર ઠેરવ્યું છે અને મામલો ઉપલી અદાલતમાં છે. હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે આ શ્રેણીમાં ૨૦ ટકા આરક્ષણની દરખાસ્ત મૂકી છે, જેને જાટોએ નામંજૂર કરી દીધી છે. એ સમજવું મુશ્કેલ છે કે શું જાટ ખરેખર એ વિચારે છે કે તેમને આરક્ષણ આપવા માટે સંવિધાનમાં સંશોધન જેવા પગલાં ઉઠાવવા માટે સરકારને મજબૂર કરી શકે છે? શું આ આંદોલન ખીજ અને ગુસ્સાથી નીકળેલું દિશાહીન આંદોલન છે? જાટ આરક્ષણની જાહેરાત સૌથી પહેલાં વસુંધરા રાજેએ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી દરમિયાન કરી હતી. તેનો તેમને ફાયદો પણ મળ્યો અને જાટોએ તેમને ભરપૂર ટેકો આપ્યો, પરંતુ ફરી રાજસ્થાનમાં ગૂજ્જરોનું અનુસૂચિત જનજાતિ શ્રેણીમાં આરક્ષણ આપવાની માંગણી સાથે આંદોલન શરૂ થઈ ગયું છે. ગુજરાતમાં પટેલોનું આરક્ષણ આંદોલન પણ સરકારના ગળામાં ફાંસો બનીને અટકેલું છે. હવે સ્થિતિ એ છે કે, કોઈ જાતિ વિશેષને આરક્ષણ આપવાનું વચન કોઈને મત તો નથી અપાવી શકતું, પરંતુ આરક્ષણની માંગ કરી રહેલી જાતિ કોઈ પાર્ટીને નુકશાન જરૂર પહોંચાડી શકે છે. યુપીએ સરકાર દ્વારા આરક્ષણ આપવા છતાં જાટ બહુમતી વિસ્તારોમાં કોંગ્રેસ અને તેમના સાથીઓને કારમી હારનો સામનો કરવો પડ્યો. બીજી બાજુ, પટેલોનો વિરોધ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી માટે ઘણો નુકશાનકારક સાબિત થયું છે. એટલે કે આરક્ષણનો રાજકારણનો ઉપયોગ હવે રાજકીય પક્ષો માટે દરેક રીતે નુકશાનકારક સાબિત થઈ રહ્યો છે, પરંતુ જે જિન્ન બોટલની બહાર આવે છે, તેને પાછો બંધ કરવો અસંભવ છે.
અપેક્ષાકૃત તાકાતવાન અને સંપન્ન જાતિઓમાં આરક્ષણની માગણી વિચિત્ર છે, પરંતુ તેના મજબૂત કારણ પણ છે. વર્ચસ્વ વધારવાની ઈચ્છાના અતિરેક્તનું એક મોટું કારણ એ છે કે જાટો અથવા પટેલોમાં તમામ સમૃદ્ધ નથી. ઉત્તર ભારતના તાકાતવાન ખેડૂત જાતિઓ પણ શિક્ષણ અને ઔદ્યોગિક સંસ્કૃતિના મામલામાં પછાત થઈ છે. જે નવી જ્ઞાન આધારિત અર્થવ્યવસ્થા ઝડપથી વિકસિત થઈ રહી છે, તેમાં તે અંતિમ સ્થાને છે. એવામાં, તેમને લાગે છે કે આરક્ષણથી તેમના બાળકો આઈઆઈટી અથવા પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં ભરતી થઈ શકશે તથા ખેતી અને જમીન પર નિર્ભરતાથી મુક્ત થઈ શકશે. તેનું નિદાન દરેકને આરક્ષણનું વચન આપવાનું નથી, પરંતુ વધારે તક ઊભી કરવાનું છે અને તંત્રને વધારે ન્યાયસંગત બનાવવાનું છે, જેથી આરક્ષણની મૂળ ભાવના બની રહે અને તે રાજકીય રમતનું મહોરું ન બને.
 
-અભિજિત

- લખ્યા તારીખઃ ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૬

No comments:

Post a Comment