Tuesday, February 23, 2016

જેએનયુમાં વિવાદનું કારણ હિન્દુત્વ વિચારધારાની ઉપેક્ષા !


જેએનયુના નામથી વિખ્યાત જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા ભારતવાસીઓને એ જ અપેક્ષા રહી છે કે, તે લોકશાહીમાં સૌથી આગળ રહેશે, દેશ અને દુનિયામાં લોક સંમત ડાબેરી વિચારધારાના ફેલાવામાં મદદરૂપ બનશે અને તેમાં થઈ રહેલા શોધ શિક્ષણની રોશની દેશ અને દુનિયાને ઉજાગર કરશે. છેલ્લાંં કેટલાંક દિવસથી ચાલી રહેલા જેએનયુના વિવાદમાં હિન્દુત્વની વિચારધારાની ઉપેક્ષા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ આશા કંઈક એટલી પ્રબળ રહી છે કે, લોકો એ સમજી નથી શકતા કે જેએનયુ મુખ્યત્વે દેશના એસ્ટાબ્લિશમેન્ટ માટે કામ કરે છે, તેના વિરોધમાં નહિ. ત્યાંથી નીકળનારો દરેક વિદ્યાર્થી એસ્ટાબ્લિશમેેન્ટમાં મોટા મોટા પદો પર બિરાજમાન છે. હાલના દિવસોમાં એક નાની યાદી પર નજર દોડાવી લઈએ તો આપણે જાણીએ છીએ કે મોદી સરકારના સૌથી મહત્વપૂર્ણ પદો પર જેએનયુમાંથી ભણેલા લોકો જ બેઠા છે.
સીબીઆઈના ચીફ, ચીનમાં લાંબા સમય સુધી રહેનારા ભારતના રાજદૂત જે આજકાલ ભારતના વિદેશ સચિવ છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમના મુખ્ય કાર્યકરો, આ તમામ જેએનયુમાં ભણ્યાં છે. દેશના વાણિજ્ય અને ઉદ્યોગોને વધારવાનું બિડું ઉઠાવનારા મંત્રી નિર્મલા સીતારામન જ નહિ, રાજકારણના અનેક મોટા નેતા અહીંથી જ છે. મીડિયા અને શિક્ષણના ક્ષેત્રમાં તો જેએનયુમાં ભણેલા લોકોની ભારે ભરમાર છે. જો ક્યાંક જેએનયુના લોકોની કમી છે છે તો તે ક્રાંતિકારીઓની જમાતમાં. આ સ્થિતિ સદાકાળથી રહી છે.
પછી આ કેવી રીતે થયું કે લોકોમાં ગેરસમજ ફેલાઈ છે કે જેએનયુ ક્રાંતિનો ગઢ છે? સરકાર સાથે જોડાયેલા લોકો કહેતા ફરે છે કે જેએનયુ રાષ્ટ્ર વિરોધી છે, દેશ અને સમાજને તોડવામાં લાગેલું છે? લોકો વિચારતા રહે, તો રહે, જેએનયુવાળા પણ પોતાના ક્રાંતિકારી હોવાના દમ મારતા થાકતાં નથી. પરંતુ લાગે છે કે વિચાર અને ચાલચલન જો સામાન્ય રીતે સમાજમાં છૂપાવી દેવાય છે, ત્યાં સરળતાથી અભિવ્યક્તિ પામતાં રહે છે.
જ્યારે સમગ્ર દેશમાં સમલૈંગિકતાને લઈને હાહાકાર મચેલો હતો, તો આ તે બિરલે પરિસરોમાં હતો જ્યાં સમલૈંગિકતાની સ્વતંત્રતા સંદર્ભે લોકોમાં ચર્ચા નહોતી કરવી પડી. જ્યારે દેશમાં સિગરેટ પીવા પર પ્રતિબંધ લગાવાયો તો અહીં જ સિગરેટ પીવાની પરંપરા નિર્વિઘ્ને ચાલતી રહી. જ્યારે દેશ મહિલાઓ માટે સામાજિક ન્યાયની ચર્ચામાં નિરર્થક સમય પસાર કરી રહ્યો હતો, ત્યારે મહિલાઓને જેએનયુ પરિસરમાં સ્વછંદ રહેવા અને કામ કરવાની આઝાદી મળી.
જ્યારે દિલ્હીમાં કોંગ્રેસ સરકારની નાક નીચે સિખોની હત્યા થઈ રહી હતી ત્યારે જેએનયુના જ સિખોને શરણું આપ્યું. જ્યારે દેશભરમાં વિદ્યાર્થી રાજકારણના નામ પર માત્ર ગૂંડાગીરી થતી હતી, જેએનયુ વિદ્યાર્થી રાજકીય વિચારોને સંજિદા કરવાનો અખાડો બન્યું, પણ રાજકીય લડાઈઓ વૈચારિક રહી, માર-પીટ, હાથાપાઈ સુધી નહોતી પહોંચી. અહીં સુધી કે વિદ્યાર્થી રાજકારણનું સંચાલન અને વ્યવસ્થા પણ વિદ્યાર્થીઓ જ કરતા રહ્યા.
તેની આડ લઈને દેશની વિરૂદ્ધ વિચાર તૈયાર કરવા માટે અહીંની વૈચારિક ખૂલ્લાંપણાંનો ઉપયોગ કરાયો. અહીં સુધી કે જેએનયુ પરિસરમાં અનેક ભાગેડુઓએ શરણું લીધું. કેટલાંય અતિવાદીઓ અહીંથી જ પકડાઈ ચૂક્યા છે. સમસ્યા એ છે કે, વિચારોના ખૂલ્લાંપણા ભ્રામક વિચારોને ફેલાવા માટે, દેશ વિરોધી વિચારો અને પ્રવૃત્તિઓ માટે સારું વાતાવરણ તૈયાર કરે છે.
એ સાચું છે કે, સર્વહારાની પ્રતિ સંવેદના અહીંની આબોહવામાં સમાહિત રહી છે. પરિણામસ્વરૂપ અહીંની ચર્ચાનો એક મોટો હિસ્સો એ રહ્યો છે કે, કોઈ પણ રીતે એસ્ટાબ્લિશમેન્ટ લોકોના પ્રતિ પોતાની જવાબદારીઓને ઠીક રીતે નિભાવી નથી રહ્યા. એસ્ટાબ્લિશમેન્ટની ભર્ત્સના કરવી, તેને પક્ષપાતી સાબિત કરવી અને તેમાં પરિવર્તન લાવવાની જરૂરિયાત પર વિચાર કરવા જેએનયુ જ મુખ્ય નિશાન રહી છે. પરંતુ સામાન્ય પ્રજા પ્રતિ સહાનુભૂતિ હોવા છતાં જેએનયુમાં રહેનારા લોકોમાં એક ગજબ પ્રકારનું આકર્ષણ રહે છે. પોતાના પચાસ વર્ષના ઈતિહાસમાં જેએનયુએ ક્યારેય પણ સાધારણ લોકો સુધી પહોંચીને કંઈ પણ કરવાનો પ્રયાસ નથી કર્યો. ત્યાં સુધી કે અહીંથી થનારા સંશોધનો પણ કંઈક એ રીતે ગોઠવાતા જતા કે લોકો સાથે ઓછામાં ઓછો સંબંધ રહે.
તેમાં સચ્ચાઈની શોધ કરવાના વિકલ્પોનું આકલન કરવાનો કોઈ પ્રયાસ થતો ન જોવા મળ્યો. તેનું પરિણામ એ રહ્યું કે, જેએનયુ ક્યારેય પણ બહારના લોકોને એ સમજાવી ન શકી કે આ યુનિવર્સિટીના કારણે દેશને શું ફાયદો થાય છે. લોકો કેમ કરીને આ યુનિવર્સિટીને મજબૂત બનાવવામાં મદદ કરે. પરંતુ, સૌથી મોટી વાત એ છે કે, અહીં વૈચારિક અભિવ્યક્તિની આડમાં હિન્દુત્વવાદી વિચારો પર લગભગ પ્રતિબંધ લાગેલો રહ્યો છે. હિન્દુત્વવાદી વિચારોના ખંડનને જ તેનાથી વિવાદ અને વિમર્શ કરવા તૂલ્ય માની લેવામાં આવ્યું. તેમને સાંપ્રદાયિક અને જાતિવાદી ઠરાવી દઈને તેને દબાવવાનો પ્રયાસ કરાયો.
એ પણ ઠીક રહેતું કે જો કોંગ્રેસ અને ડાબેરી સરકારોની સાંપ્રદાયિકતાને પણ તે જ તત્પરતાથી ખંડન કરવામાં આવી હોત, પણ એવું ન થયું. થયું એવું કે  જેએનયુએ પોતાને આ સરકારોના સમર્થનમાં ઊભી કરી દીધી. તેનાથી એ સંભાવના વધી ગઈ અને લોકો માનવા લાગ્યા કે, જેએનયુને મળનારી તમામ સુવિધાઓ, સત્તાની સાથે જેએનયુની નિકટતા, તેના સમર્થનને કારણે આવતી રહી છે.
હવે સરકાર બદલાઈ ગઈ છે, તે સૌ જેણે અત્યાર સુધી બોલવા નહોતા દેવામાં આવતા, તે બોલવા લાગ્યા છે, તો થોડા વૈચારિક હાહાકાર તો થશે જ.
-અભિજિત
લખ્યા તારીખઃ ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૬

No comments:

Post a Comment