Sunday, September 7, 2014

બ્લોગની દુનિયામાં ફરી પગરણ....

દોસ્તોને નમસકાર,

ઘણાં લાંબા સમય પછી  ફરી એકવાર બ્લોગ લખવાનું શરૂ કરી રહ્યો  છું. કારણ એક જ  હતું કે આટલા સમય દરમિયાન પત્રકારત્વ છોડીને જનસંપર્ક ક્ષેત્રમાં જોડાયો. કંઇક નવું કરવાનું વિચાર્યું અને એવું પણ વિચાર્યું કે પત્રકારત્વમાં પરિવાર સાથે સમય પસાર  નહિ કરી શકાય, અને જનસંપર્કમાં જઈશું તો પરિવારને સમય ફાળવી શકીશું અને બ્લોગ પણ લખી શકીશું.. પણ,  ના જનસંપર્ક  ક્ષેત્રમાં તો તેના કરતા પણ વધારે સમય જતો હતો. સવારના નવથી સાંજના છ વાગ્યા સુધીના નોકરીના સમયમાં થાકીને ઠૂસ થઇ જવાતું હતું.. અને પછી ઘરે પહોંચ્યા બાદ કંટાળો આવતો... એટલે બ્લોગ લખવાનો સમય જ ના કાઢી શકાયો. પણ  હવે ગમે  તેમ કરીને પણ સમય કાઢીને ફરી બ્લોગ લખવાનું શરૂ કરવાનો વિચાર મારી પત્ની નિમિષા અને બે દીકરીઓ અનાહિતા અને આર્યાએ આપ્યો.. અને શરૂ કર્યું ફરી બ્લોગ લખવાનું..

છેલ્લે 2010માં બ્લોગ લખ્યો પછી આજે લખવા બેઠો છું, ચાર વર્ષના લાંબા ગાળા બાદ શું લખવું શું ના લખવું તે સુઝતું નથી. પણ મને વિશ્વાસ છે કે હું આપ સૌની અપેક્ષાઓ પૂરી કરું એવો બ્લોગ જરૂરથી લખીશ.. મારા લખાણને ઝેલવા તૈયાર થઇ જાઓ. ટૂંક સમયમાં આપને માટે સરસ વિષય પર બ્લોગ  લઈને આવીશ.

અભિજિત 
06-09-2014

No comments:

Post a Comment